Saturday, June 21, 2025
HomeUncategorized“આપણને જીવનમાં ફક્ત એક શોટ મળે છે”: બાલવીરનો કલાકાર દેવ જોશી પાઈલટ...

“આપણને જીવનમાં ફક્ત એક શોટ મળે છે”: બાલવીરનો કલાકાર દેવ જોશી પાઈલટ બનવાના આજીવન સપનાં પર બોલે છે

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

અભિનેતા દેવ જોશીએ લાંબા સમયથી ચાલતા ફેન્ટસી શો બાલવીરમાં શક્તિશાળી સુપરહીરોના પ્રતિકાત્મક પાત્ર સાથે એક દાયકાથી લાખ્ખો દર્શકોનાં મન જીતી લીધાં છે. આ ફેન-ફેવરીટ શો દર્શકોને બહુપ્રતિક્ષિત ચોથી સીઝન સાથે વધુ રોમાંચક સાહસો થકી લઈ જાય છે, જેનું પ્રસારણ 6ઠ્ઠી મેથી ખાસ સોની લાઈવ પરથી થઈ રહ્યું છે. દરેક સોમવારથી શુક્રવારે સાંજે 7.30 વાગ્યાથી તે પ્રસારિત થાય છે. આ સીઝનનું પ્રસારણ શરૂ થયું તે પૂર્વે દેવે રીતસર નવી ઊંચાઈએ પહોંચવા માટે પોતાની લગની જાહેર કરી. તેની અદભુત અભિનય કારકિર્દી ઉપરાંત આ અભિનેતાએ પાઈલટ તરીકે આકાશમાં ઉડાણ કરવાના આજીવન સપનાં પર પ્રકાશ પાડ્યો.
દેવ પોતાના શબ્દોમાં આ વિશે સમજાવે છે, “હું લગની પૂરી કરવામાં વિશ્વાસ રાખું છું, કારણ કે આપણને જીવનમાં ફક્ત એક શોટ મળે છે. અભિનય મારી બાળપણથી લગની રહી છે અને તેમાં ઉત્કૃષ્ટતા હાંસલ કરી શક્યો તે મારું સદભાગ્ય છે. જોકે હું એક લગનીમાં બંધાયેલો રહેવા માગતો નથી. પડદાની બહાર હું જ્ઞાન માટે ભારે ઉત્સુક છું. આથી મેં પોલિટિકલ સાયન્સમાં બેચલર્સ ડિગ્રી મેળવી છે અને હાલમાં હું આંતરરાષ્ટ્રીય બાબતો અને રાજદ્વારીમાં માસ્ટર્સ ડિગ્રીનું ભણી રહ્યો છું. આ સર્વ છતાં આકાશમાં ઉડાણ કરવાનું મારું સપનું હતું સાયન્સ સ્ટ્રીમમાં બારમું ધોરણ પૂર્ણ કર્યા પછી હું મારી પાઈલટની તાલીમ શરૂ કરવાની તકની વાટ જોતો હતો. આખરે જીવન પરિપૂર્ણ જીવવાનું હોય છે અને તે તમને ભલે ગમે ત્યાં લઈ જાય, તમારે સપનાંનો પીછો ચાલુ રાખવાનો હોય છે.”
બાલવીરની આ સીઝનમાં દેવ જોશી ફરી એક વાર સુપરહીરોની ભૂમિકામાં છે. તેની સાથે અદિતિ સંવાલ કાશ્વી તરીકે અને અદા આજીલ તરીકે છે. શોમાં બાલવીર માનવતાનું રક્ષણ કરવા માટે અંધકારનાં બળો સામે જંગ કરે છે. આ સુપરહીરો ફેન્ટસી સર્વ વયજૂથના દર્શકોની કલ્પનાઓને પ્રજ્જવલિત કરે છે.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here