Wednesday, June 18, 2025
HomeSportsઆજે રોહિતની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યા કરશે ટીમ ઇન્ડિયાની કપ્તાની, જાણો બંને ટીમની...

આજે રોહિતની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યા કરશે ટીમ ઇન્ડિયાની કપ્તાની, જાણો બંને ટીમની સંભવિત પ્લેઈંગ-11

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

 ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની સીરીઝની પ્રથમ મેચ આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. મેચ બપોરે 1.30 કલાકે શરૂ થશે. આજની મેચમાં હાર્દિક પંડ્યા નિયમિત કેપ્ટન રોહિત શર્માની જગ્યાએ ટીમનું નેતૃત્વ કરતો જોવા મળશે. રોહિત સિરીઝની બાકીની બે મેચોમાં ટીમનું સુકાન સંભાળશે. ભારતીય ક્રિકેટ બોર્ડ એટલે કે બીસીસીઆઈએ પહેલા જ કહ્યું હતું કે રોહિતે પારિવારિક કારણોસર શ્રેણીની પ્રથમ વનડેમાંથી આરામ લીધો છે. ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે મેદાનમાં ઉતરશે ત્યારે તેની નજર આ વર્ષના અંતમાં યોજાનાર વર્લ્ડ કપની તૈયારીઓ પર રહેશે. આ મેદાન પર બંને ટીમો ત્રણ વર્ષ પછી આમને-સામને થશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અહીં અત્યાર સુધી ચાર મેચ રમાઈ છે. જેમાં ભારતીય ટીમ માત્ર એક જ જીત મેળવી શકી હતી. ઓસ્ટ્રેલિયાને ત્રણ મેચમાં સફળતા મળી હતી. વર્ષ 2020માં છેલ્લી વખત જ્યારે બંને ટીમો અહીં આમને-સામને હતી, ત્યારે કાંગારુ ટીમે 10 વિકેટે જીત મેળવી હતી.

બંને ટીમો વચ્ચે અત્યાર સુધી રમાયેલી 143 વનડેમાં ભારતીય ટીમ માત્ર 53 મેચ જ જીતી શકી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ 80 જીતી હતી. 10 મેચ અનિર્ણિત રહી હતી. તે જ સમયે, ભારતમાં બંને વચ્ચે અત્યાર સુધીમાં 64 મેચ રમાઈ છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ 29 મેચમાં જીત મેળવી હતી. 30માં હાર મળી હતી. 5 મેચ અનિર્ણિત રહી હતી.

વેધર રિપોર્ટ
મુંબઈમાં મેચ દરમિયાન હવામાન સ્વચ્છ રહેશે. તાપમાન 24થી 33 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા છે. વરસાદની કોઈ સંભાવના નથી.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here