Saturday, June 21, 2025
Homenationalઅમરનાથ યાત્રાને એક દિન માટે બંધ રખાઇ છે

અમરનાથ યાત્રાને એક દિન માટે બંધ રખાઇ છે

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

શ્રીનગર,તા. ૧૩
અમરનાથ યાત્રા શાંતિપૂર્ણરીતે ચાલી રહી છે. જા કે સાવચેતીના પગલારૂપે યાત્રાને એક દિવસ માટે બંધ રાખવામાં આવી છે.અલગતાવાદી કટ્ટરપંથી લોકો દ્વારા બંધની હાકલ કરવામા ંઆવ્યા બાદ સાવચેતીના પગલારૂપે એક દિવસ માટે યાત્રા બંધ રાખવામાં આવી છે. જેથી આજે શનિવારના દિવસે જમ્મુથી કાશ્મીર ખીણમાં આગળ વધવાની કોઇને મંજુરી આપવામાં આવી ન હતી. કાયદો અને વ્યવસ્થાની Âસ્થતીની સમીક્ષા કરવામાં આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ૧૩મી જુલાઇના દિવસે જમ્મુ કાશ્મીરમાં શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે. વર્ષ ૧૯૩૧માં ડોગરા મહારાજાની ફોર્સ દ્વારા શ્રીનગર સેન્ટ્રલ જેલની બહાર ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા હતા. આ શહીદોના માનમાં બંધ રાખવામાં આવે છે. પહેલી જુલાઇના દિવસે અમરયાત્રા શરૂ કરવામાં આવ્યા બાદથી હજુ સુધી ૧.૫૦ લાખથી વધારે શ્રદ્ધાળુઓ અમરનાથમાં દર્શન કરી ચુક્યા છે.કાશ્મીર હિમાલયમાં દરિયાઇ સપાટીથી ૩૮૮૮ મીટરની ઉંચાઈએ સ્થત ગુફાને લઇને અનેક પ્રકારની કહેવતો રહેલી છે. શ્રદ્ધાળુઓ જુદા જુદા માર્ગ મારફતે આગળ વધી શકે છે. સ્થાનિક મુસ્લમો પણ હંમેશા યાત્રા માટે મદદરુપ બને છે. ૧૮૫૦માં એક મુસ્લમ દ્વારા આ ગુફાને શોધી કાઢવામાં આવી હતી. ત્યારબાદ બુટા મલિક નામના આ વ્યÂક્તનું સન્માન કરવામાં આવ્યું હતું. અમરનાથ યાત્રાના મહત્વને આ બાબતથી જ સમજી શકાય છે કે, કેન્દ્રીયમંત્રી ગૃહમંત્રી અમિત શાહ અમરનાથ યાત્રા પહેલા જમ્મુ કાશ્મીર પહોંચ્યા હતા અને તમામ પ્રકારની સુરક્ષા પરિસ્થતિની સમીક્ષા કરી હતી.તમામ સંબંધિતો સાથે વાતચીત પણ કરી હતી. આખરે આને લીલીઝંડી મળી હતી. જા કે, કટ્ટરપંથીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી રહી છે કે, અમરનાથ યાત્રાના લીધે સ્થાનિક લોકોને તકલીફ થઇ રહી છે. બીજી બાજુ હજુ લાખો લોકો નોંધણી કરાવી ચુક્યા છે. આ તમામ લોકો દર્શન કરવા માટે આશાસ્પદ દેખાઈ રહ્યા છે.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here