Friday, June 20, 2025
HomeGujaratAhmedabadઅમદાવાદથી આ 4 શહેરો માટે નવી સીધી ફ્લાઇટ, જાણો ક્યારથી થશે શરૂ

અમદાવાદથી આ 4 શહેરો માટે નવી સીધી ફ્લાઇટ, જાણો ક્યારથી થશે શરૂ

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

Direct Flights Will Be Available From Ahmedabad Airport : અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી આ વર્ષે પ્રયાજરાગ, ઇન્દોર, કોલકાતા અને દેહરાદૂન માટે આગામી મહિનાથી વિમાન સેવા શરૂ કરવાની તૈયારી છે. આ ચારેય શહેરો માટે સીધી વિમાન સેવા શરૂ કરવા માટે પેપરવર્ક શરૂ કરી દેવામાં આવ્યું છે. 15 ડિસેમ્બર બાદ આ ચાર શહેરો માટે વિમાન સેવા શરૂ થઇ શકે છે. જેના લીધે ટુરીઝમ અને વેપારમાં સીધો ફાયદો થશે.

વિમાન કંપની ઇન્ડીગો અમદાવાદ-કોલકાતા, ઇન્દોર, અને એલાયન્સ એર દેહરાદૂન માટે સીધી વિમાન સેવા શરૂ કરી શકે છે. જોકે હાલમાં અમદાવાદથી કોલકાતા માટે સીધી ફ્લાઇટ સેવા છે, ત્યારે વધુ એક ફ્લાઇટનો ઉમેરો કરવામાં આવતાં હવે મુસાફરોને ત્રણના બદલે ચાર ફ્લાઇટ મળશે. તથા ત્રિવેન્દ્રમ કોચીન અને ગુવાહાટી માટે પહેલીવાર અમદાવાદથી સીધી ફ્લાઈટ શરૂ કરવામાં આવશે.
ઇન્ડીગો એરલાઇન્સ દ્વારા અઠવાડિયાના સાતેય દિવસ અમદાવાદથી ગુવાહાટી અને ગુવાહાટીથી અમદાવાદ માટે વિમાન સેવા શરૂ કરવામાં આવી છે. જે અમદાવાદથી સવારે 8:30 કલાકે અમદાવાદથી ઉડાન ભરશે અને સવારે 11:15 કલાકે ગુવાહાટી પહોંચાડશે.

તો બીજી તરફ ગુવાહાટીથી સાંજે 4:55 વાગે ઉપડશે જે રાત્રે 8:35 કલાકે અમદાવાદ પહોંચાડશે. આ સિવાય અન્ય એક ફ્લાઇટ અમદાવાદથી રાત્રે 9:20 કલાકે ઉડાન ભરશે, જે રાત્રે 11:45 કલાકે ગુવાહાટી પહોંચડશે.

- Advertisement -

મહાકુંભ પહેલાં દેશના ઘણા મહત્વપૂર્ણ શહેરો માટે વિમાન સેવા શરૂ થવાની છે. એરપોર્ટ સલાહકાર સમિતિએની બેઠકમાં અહીં પૂણે, જયપુર, ગુવાહાટી, ચેન્નઇ, જમ્મૂ, ગોવા, નાગપુર, પતના, અમદાવાદ, કોલકાતા, ભોપાલ તથા ઇન્દોર માટે સીધી વિમાન સેવા શરૂ કરવા અંગે જણાવવામાં આવ્યું હતું. એરપોર્ટ મેનેજમેન્ટનું કહેવું છે કે હવે મહાકુંભ પહેલાં આ તમામ શહેરો માટે સીધી સેવા શરૂ થશે. શરૂઆત અમદાવાદ, કોલકાતા, દેહરાદૂન અને ઇન્દોરથી કરવામાં આવી શકે છે.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here