Monday, June 9, 2025
HomeBreaking Newsઅતિથિ દેવો ભવ ના સૂત્ર નો રેલવે તંત્ર દ્વારા ઉલ્લાળિયો

અતિથિ દેવો ભવ ના સૂત્ર નો રેલવે તંત્ર દ્વારા ઉલ્લાળિયો

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

દામનગર શહેર ના રેલવે સ્ટેશને ચાલતા નવા પ્લેટ ફોર્મ સહિત ના કામો ભલે થાય પણ મુસાફરો માટે બેસવા ની શુ ઉભા રહેવા ની પણ સુવિધા નો અભાવ વિકાસ કામ ના નામે ભારે હાલાકી વેઠવા મજબુર મુસાફરો ને રોડ થી સ્ટેશન સુધી ના રસ્તે જવા માટે કીચડ વાહન તો દૂર પણ ચાલી ને પણ જઈ ન શકાય તેવી સ્થિતિ રેલવે સલાહકાર સમિતિ શુ કરતી હશે ? રોડ થી ૧૦૦ મીટર દૂર રેલવે સ્ટેશન સુધી નો રસ્તો કાદવ કીચડ અને ગંદકી થી ખદબદે છે સ્ટેશન માં ખુલ્લા મેદાન માં બાંકડા વરસતા વરસાદ માં ક્યાં બેચવું કે ઉભા રહેવું ? સ્થાનિક કક્ષા એ બનાવેલ રેલવે સલાહકાર સમતી કોને સલાહ આપતી હશે અને કેવી સલાહ આપતી હશે ? રેલવે સ્ટેશને વિકાસ ના નામે આટલી બધી અસુવિધા કેમ ? મહુવા – સુરત ટ્રેન ના મુસાફરો એ સોશ્યલ મીડિયા માં હૈયા વરાળ કાઢી પણ સ્થાનિક રેલવે સલાહકાર સમિતિ ને શુ ? સત્તાધારી પક્ષ ના કાર્યકરો ને વિવિધ સમિતિ બનાવી ફોટા પડવા સિવાય જમીની હકીકત ઉપર કામ કરવું જોઈ એ રેલવે સ્ટેશન ખાતે કામ કરતી એજન્સી એ વિકલ્પ રસ્તો શા માટે નથી બનાવ્યો ? રોડ થી સ્ટેશન સુધી જવા માટે નો રસ્તો કોની જવાબદારી માં આવે ? બેશર્મી ની હદ વટાવતાં તંત્ર ભલે કરોડો ના ખર્ચે વિકાસ કરે પણ પ્રાથમિક સુવિધા તો આપી મુસાફરો સાથે અતિથિ દેવો ભવ ની સલાહ નો અમલ ક્યારે ?

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here