Wednesday, June 18, 2025
HomeWorldઅંતે ઉપદેશક જાકીર નાઇકના ઉપદેશ આપવા ઉપર પ્રતિબંધ

અંતે ઉપદેશક જાકીર નાઇકના ઉપદેશ આપવા ઉપર પ્રતિબંધ

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

ક્વાલાલુમ્પુર,તા. ૨૦
મલેશિયામાં ઉશ્કેરણીજનક નિવેદન આપવાના કારણે વિવાદાસ્પદ ધર્મ ગુરુ જાકીર નાઇક પર હવે પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. આનો અર્થ એ થયો કે તેઓ હવે કોઇ ઉપદેશ જાહેરમાં આપી શકશે નહીં. નાઇક પર જાહેર રીતે પ્રતિબંધ મુકી દીધો છે. મલેશિયાના વડાપ્રધાન મોહમ્મજ મહાતિર વિવાદાસ્પદ ઉપદેશક અને મની લોન્ડરિંગ કેસમાં વોન્ટેડ જાકીર નાઇકને ભારતમાં ન મોકલવા પર અડેલા હતા. જા કે હવે આ જ જાકીર તેમના માટે માથાના દુખાવા સમાન બની ગયા છે. રોયલ મલેશિયા પોલીસ દ્વારા તેમના પર પ્રતિબંધ મુકવામાં આવ્યોહોવાના હેવાલને સમર્થન મળ્યુ છે. અત્રે નોંધનીય છે કે જાકીર નાઇક છેલ્લા કેટલાક સમયથી મલેશિયામાં શરણ લઇને રહે છે.

ભારત સરકાર મલેશિયાથી જાકીર નાઇકના પ્રત્યાર્પણને લઇને આશાવાદી છે. સાથે સાથે આના માટે રજૂઆત પણ કરી રહ્યા છે. મલેશિયન પોલીસે નિવેદન જારી કરીને કહ્યુ છે કે જાકીરના ઉપદેશ પર હવે પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. સરકાર તરફથી આદેશ મળ્યો હોવાના હેવાલને પોલીસે સમર્થન આપ્યુ છે. જાકીર વર્ષોથી વિવાદાસ્પદ નિવેદન કરવા માટે જાણીતા રહ્યા છે. જાકીર નાઇક હિન્દુઓ અને ચીની લોકોને લઇને વિવાદાસ્પદ ટિપ્પણી કરી ચુક્યા છે.જાકીરે ચીની મુળના નાગરિકોને લઇને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી અને કહ્યુહતુ કે તેમને પોતાના દેશમાં પરત ફરવુ જાઇએ. કારણ કે તેઓ જુના ગેસ્ટ તરીકે છે. જાકીરે એમ પણ કહ્યુ હતુ કે ભારતમાં જેટલા અધિકાર મુÂસ્લમોને મળ્યા નથી તેના કરતા વધારે અધિકાર મલેશિયામાં હિન્દુઓને મળ્યા છે. તેમના ઉશ્કેરણીજનક કૃત્યો જારી રહ્યા છે.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here